રાજ્યમાં કોરોના સંકટ હળવું બનતા ભક્તો માટે અંબાજી મંદિરના દ્રાર ખોલી દેવામાં આવતા અંબાજી મંદિર ફરીથી ભક્તોથી છલકાવા લાગતા મંદિરની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અંબાજી ખાતે માતાજીના દર્શને આવતા શ્રધ્ધાળુઓ પોતાની યથાશક્તિ રૂપે માતાજીના ચરણે ભેટ ધરતા હોઇ છેલ્લા બે માસમાં મંદીરના ભંડારામાં રૂ.૫.૫૭ કરોડ ઉપરાંતની આવક થવા પામી છે.