Cyclone : આગામી 48 કલાક ભારે! જાણો ક્યાંથી પસાર થશે આસની વાવાઝોડું, રવિવાર સુધી ફૂંકાશે પવન


આગામી 48 કલાક ભારે! જાણો ક્યાંથી પસાર થશે આસની વાવાઝોડુંરવિવાર સુધી ફૂંકાશે પવન

બંગાળની ખાડીમાંથી ઉછળેલું આ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે.હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળસિક્કિમઆસામમેઘાલયનાગાલેન્ડમિઝોરમઝારખંડ પર પડી શકે છે.

 

18 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

ચક્રવાતી તોફાનના ખતરાને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.


ચક્રવાતને લઈને PM મોદીએ સમીક્ષા બેઠક યોજી 

મહત્વનું છે કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીંઓડિશા સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

NDRFની ટીમો પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે

દરમિયાનસાવચેતી તરીકેઓડિશાના મલકાનગિરીથી મયુરભંજ સુધીના 18 જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો સાથે ફાયર બ્રિગેડની 175 ટીમોને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

IMDએ મેના રોજ જ ચક્રવાતની આગાહી કરી હતી

મેના રોજ જ હવામાન વિભાગે માહિતી આપી હતી કેઆ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને આગામી 120 કલાક દરમિયાન મોટું ચક્રવાત થવાની સંભાવના છે. મે માટે માછીમારોને આપેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ભારે પવનની સંભાવના છે.

 

2021માં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કેઆ પહેલા 2021માં ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે. ચક્રવાત જવાદ ડિસેમ્બર 2021માં આવ્યો હતો જ્યારે ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યો હતો. આ સિવાય ચક્રવાત યાસે મે 2021માં દસ્તક આપી હતી.