WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની શિલારોપણ વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન

 


જામનગર

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત WHOના મહાનિર્દેશક ટ્રેડ્રોસ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉપરાંત મોરેશિયસના પીએમ પ્રવિન્દ જુગનાથે પણ ખાસ હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પીએમ મોદીએ ડબલ્યૂએચઓના મહાનિર્દેશક ટેડ્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, જામનગરનો આયુર્વેદ સાથે જૂનો સંબંધ છે. દાયકાઓ પહેલા જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. આગામી ૨૫ વર્ષમાં આ પરંપરાગત સારવાર પદ્ધતિનું કેન્દ્ર બનશે. આ કેન્દ્ર જામનગરને વિશ્વફલક પર નવી ઊંચાઇએ લઇ જશે. ડબ્લ્યૂએચઓના વિશ્વાસ પર ભારત ખરું સાબિત થશે. આયુર્વેદ આપણો પાંચમો વેદ છે. WHOના મહાનિર્દેશક ટ્રેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી અને કહ્યું હતું કે, નમસ્કાર કેમ છો બધા. ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, મારે ભારત સાથે જૂનો નાતો છે, મને હાઈસ્કૂલમાં ભારતીય શિક્ષકોએ શિક્ષણ આપ્યું, બોલિવૂડ ફિલ્મો જોઈને જ હું મોટો થયો છું.GCTMની મદદથી વિશ્વને અનેક ફાયદાઓ થશે. આ કામ માટે મોદી અને તેમની સરકારને ધન્યવાદ આપું છું. પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર છે, આ કામ માટે તમારો ધન્યવાદ. ભારત દુનિયાને દવા પહોંચાડશે અને દુનિયાભરના દેશો હવે ભારત આવશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. પારંપરિક દવાઓના સંશોધનથી 180 દેશોને લાભ મળશે. વર્ષ 2024 સુધી સેન્ટરનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે. વિશ્વમાં પરંપરાગત ચીકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.