કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા આપમાં, પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા

ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આપમાં જોડાયા છે.

આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, હું ઈન્દ્રનીલ રાજગુરુ અને વસરામભાઈ સાગઠિયાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. આપણે સૌએ સાથે મળીને ગુજરાતની જનતાની દરેક અપેક્ષાઓ પૂર્ણ કરવાની છે. 

અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરતા રાજગુરુએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી તેમની પાર્ટી માટે નહીં પરંતુ લોકો માટે લડે છે. આ વલણ મને ખૂબ પ્રભાવિત કર્યું. હું શરૂઆતથી જ કોંગ્રેસમાં હતો કારણ કે હું લોકોની સેવા કરવા માંગતો હતો. ભાજપે લોકોને મૂર્ખ બનાવીને સત્તા મેળવી છે, જ્યારે કોંગ્રેસ વિકલ્પ બનવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. કોંગ્રેસમાં ભાજપને હરાવવાની ઈચ્છાશક્તિનો અભાવ છે.