ઢીમા મુકામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી મદ ભાગવત્ કથા ની આજે પૂર્ણાહુતિ કરાઈ


ઢીમા, બનાસકાંઠા

ઢીમા મુકામે બ્રહ્મલીન પ.પૂ.મહંતશ્રી સરજુદાસજી મહારાજ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજનો ભંડારો તેમજ ચરણ પાદુકા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી મદ ભાગવત્  કથા ની સાતમા  દિવસે  આજે પૂર્ણાહુતિ કરાઈ  ત્યારબાદ થરાદ તાલુકા અને રબારી સમાજ ના વડવાળા મંદિર અને વાળીનાથ મંદિર કરબૂણ રામજી મંદિર ઢીમા સહિત તમામ મંદિર ના  સંતો મહંતો તેમજ કથાકાર સંત શ્રી મહાવીર દાસ અને તમામ ટ્રસ્ટીઓ અને દાતાઓ નું સાલ અને રામનામની  ઓઢાડી સન્માન કરાયું હતું તેમજ રબારી સમાજ ના આગેવાનો અને રાજકીય નેતાઓ સહિત બહોળી સંખ્યામાં આવી કાળઝાળ ગરમીમાં પણ હાજરી આપી હતી